ગુરુવાર, 3 ફેબ્રુઆરી, 2022

સરગવો - સુપરફૂડ


ભલભલા વિદેશી સુપરફૂડ કરતાં પણ પાવરફુલ છે આ દેશી સુપરફૂડ !! ફાયદા છે અનેક…!!





    છોકરું કાંખમાં અને શોધ ગામમાંકહેવત બહુ જૂની છે. પરંતુ આજે પણ એ પ્રાસંગિક છે. સુપરફુડનું આજકાલ ચલણ છે. પરંતુ આપણી આસપાસ જ ક્યારેક એવા-એવા સુપરફુડસ પ્રાપ્ય હોય છે જે આપણી આખી કાયાપલટ કરી શકે છે; આપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ ધ્યાન જ જતું નથી. મોરિંગાના પાનનો પાવડર એક આવું જ ચમત્કારીક સુપરફુડ છે. મોરિંગા એટલે દેશી ભાષામાં "સરગવો" . તેના પાનમાં એટએટલાં પોષણ મૂલ્યો હોવાનું સાબિત થયું છે કે, તેનાં સેવન થકી મનુષ્યનું આખું જીવન બદલાઇ જાય. શરત માત્ર એટલી છે કે, એ સરગવો "ઓર્ગેનિક" રીતે દેશી ખાતરથી વાવેલો અને ઉછરેલો હોવો જોઇએ.


    મોરિંગાને આજે જગતભરનાં નિષ્ણાંતો માન્યતા આપતા થયા છે. તેનાં પાંદડાના પાવડર એનર્જીથી ભરપૂર હોય છે. વળી એ એનર્જી સ્યુગરનાં કારણે નથી હોતી તેથી એ શક્તિસંચાર ક્ષણિક નથી હોતો. તેનાં કારણે આર્થરાઇટિસમાં જબરદસ્ત ફાયદો થાય છે, શરીરનો દાહ કે બળતરા શમે છે. શરીરમાં અલ્સર હોય તો એ દૂર થાય છે. શરીરની ગાંઠ ઓગાળી નાખ્યાની ક્ષમતા પણ મોરિંગામાં રહેલી છે. રાહતની વાત એ છે કે, એ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે અને ચામડીનાં વિવિધ રોગો સામે પણ ઉત્તમ કામ આપે છે.


    હાઇ બ્લડ પ્રેશરના પેશન્ટને એ જબરદસ્ત રાહત આપે છે-જેને લીધે એકધારી અને સંતોષકારક ઉંઘ મળે છે. તેનામાં એવી ક્ષમતા છે કે, આખી નર્વ સિસ્ટમને એ સુધારી શકે છે. તેનાં ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે, સામાન્ય તંદુરસ્તી પણ ઉત્તમ રહે છે.


    એક વાત સ્પષ્ટ છે; જો આપણે સારો ખોરાક ન લઇએ તો ઉત્તમ સ્વાસ્થ્ય મેળવવું મુશ્કેલ છે. છેવટે સુપરફુડસ કે ઉચ્ચ પોષણમૂલ્યો ધરાવતા વિવિધ ફુડસની જરૂર શી છે? યુનોનાં કૂપોષણ કાર્યક્રમ સાથે જોડાયેલા પ્રોફેસર માઇક ગોલ્ડનએ કહ્યું છે કેઃ જગતમાં સમસ્યા કંઇ ખોરાકનાં જથ્થા (ક્વોન્ટિટી)ની નથી, સમસ્યા છે ગુણવત્તા (ક્વોલિટી)ની! તમે કેટલું ખાઓ છો તેનાં કરતાં વધુ મહત્ત્વ એ વાતનું છે કે, તમે શું ખાઓ છો!ફિટ રહેવા માટે લોકોને અલગ-અલગ પ્રકારનાં 40 પોષક તત્વોની આવશ્યકતા હોય છે. સરગવો એક એવી વનસ્પતિ છે જેમાં ચિક્કાર પ્રમાણમાં વિટામિન્સ, એમિનો એસિડસ, મિનરલ્સ અને પ્રોટિન મળી રહે છે.


    સરગવા માં રહેલું વિટામીન-એ આંખના રોગો સામે રક્ષણ પુરું પાડે છે, તેમાં રહેલું વિટામીન-સી થકાવટ દૂર કરે છે, તાવ અને ફ્લુ થતા અટકાવે છે, વિટામીન-એ ને કારણે સ્કીન ડિસીઝ, હૃદયને લગતી બિમારીથી બચાવે છે. તેમાં રહેલું કેલ્શિયમ શરીરને અનેક રીતે ફાયદો કરે છે, સરગવામાં એક અદ્ભૂત સંયોજન છેઃ કેલ્શિયમ અને વિટામીન-ડી નું સંયોજન. તેને લીધે કેન્સરનું જોખમ ઘટે છે. તેમાં રહેલા પોટેશિયમને કારણે દિમાગ અને નર્વ સિસ્ટમને જબરો ફાયદો થાય છે. અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.


    વિવિધ પોષકદ્રવ્યોનું શરીરમાં સંયોજન સધાય એ બહુ જરૂરી છે. મિનરલ્સ વગર વિટામિન્સનું મૂલ્ય કંઇ જ નથી. આ વિટામિન્સ કે મિનરલ્સ જ્યારે કુદરતી ત્રોતમાંથી મે છે ત્યારે એ શરીરને અનેક પ્રકારે ફાયદો કરે છે. તાજેતરમાં થયેલા અગણિત સંશોધનોનું તારણ એ નીકળ્યું છે કે, વિટામીન એ, ઇ અને સી જો દવા તરીકે કે દવા સ્વરૂપે લેવામાં આવે તો એ મનુષ્યની સરેરાશ આવરદા ઝાઝી વધારી શકતા નથી, ખોરાકમાં કે સુપરફુડમાં તેનો ઉપયોગ થાય તો એ ઉત્તમ પરિણામ આપે છે.


    માનવશરીરને કુલ લગભગ વીસ જેટલા એમિનો એસિડની જરૂર પડે છે. એમિનો એસિડનું સીધું જ પ્રોટિનમાં નિર્માણ સાથે સંકળાયેલું છે. જેમ વિવિધ અક્ષરો મળીને એક શબ્દ બને છે તેમ એમિનો એસિડસના સંયોજનથી પ્રોટિન બને છે. મોરિંગામાં કુલ 20 માંના 18 એમિનો એસિડસ છે. શરીર માટે અત્યંત જરૂરી એવા આઠેય એમિનો એસિડસ હાજર છે. સામાન્ય રીતે આ બધા એમિનો એસિડસ લાલ માંસ કે ચીઝ વગેરે જેવી ડેરી પ્રોડક્ટસમાંથી મળતા હોય છે.


    ખાસ કરીને શાકાહારી લોકો આમાંના ઘણાં તત્ત્વોથી વંછિત રહી જાય છે. સરગવામાં આવા લગભગ 90 કરતાં વધુ પોષકદ્રવ્યો છે જ પણ એ ઉપરાંત વિટામીન સી, બી-1, બી-2, બી-3, વિટામીન ડી અને વિટામીન ઇ પણ ભરપૂર માત્રામાં છે. તેમાં અન્ય ખનિજ પણ છે અને પાચન માટે અત્યંત જરૂરી એવું ફાઇબર પણ છે. વળી કલોરોફિલ (હરિતદ્રવ્ય) માટે આ જગતનાં કેટલાંક શ્રેષ્ઠતમ્ વિકલ્પમાંથી એક છે.


    ન્યૂ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન્સનાં એક વિસ્તૃત અહેવાલનું તારણ જણાવે છે કે, અમેરિકા-યુરોપમાં વર્ષે જેટલાં હાર્ટ એટેક નોંધાય છે તેમાંથી પચાસ ટકા કરતા ઓછા એટેક કોલેસ્ટરોલનાં કારણે થાય છે. બાકીનાં એટેક માટે શરીરને દાહ-બળતરા બહુ બધા કિસ્સાઓમાં કારણભૂત હોય છે. સરગવામાં આવા દાહને નેસ્તનાબૂદ કરતા 36 જેટલા તત્ત્વો હોય છે. આવા તત્ત્વોને લીધે જ એ સ્કિનને પણ તરોતાજા રાખે છે, ત્વચાને તાજગી આપે છે. વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યુ છે કે, ત્વચાની સાયકલ સામાન્ય રીતે 300 દિવસની હોય છે. દરેક ક્ષણે માનવશરીરમાં ત્વચાનાં 40 હજાર કોષ મૃત્યુ પામે છે અને તેની સામે નવા કોષો જન્મતા રહે છે. સરગવામાં રહેલા તત્ત્વો નવા કોષોની ઝડપ એકદમ વધારી દે છે. જે ઝડપે કોષો મૃત્યુ પામે છે તેનાં કરતા અનેકગણી સ્પીડથી નવા કોષો જન્મતા રહે છે. સરગવામાં રહેલા તત્ત્વો નવા કોષોની ઝડપ એકદમ વધારી દે છે. જે ઝડપે કોષો મૃત્યુ પામે છે તેનાં કરતા અનેકગણી સ્પીડથી નવા કોષો જન્મતા રહે છે. આ પ્રક્રિયા માત્ર સરગવા જેવા સુપરફુડસથી સંભવ છે.


    એટલે જ જો સરગવો નિયમિત લેવામાં આવે તો શરીરમાં કરચલી પડતી નથી. કરચલીઓ પડવાની શરૂઆત થઇ ગઇ હોય તો એ પ્રક્રિયા સરગવો બંધ કરી દે છે અને ત્વચાને પ્રફુલ્લીત બનાવે છે. ઝીટિન નામનું તેમાંનું તત્ત્વ તેનાં એન્ટી એજિગ તત્ત્વો માટે જાણીતું છે. સંશોધનોએ એવું પણ પુરવાર કર્યુ છે કે, અન્ય વનસ્પતિની સરખામણીએ સરગવામાં હજારગણું ઝીટિન છે.


    આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે, આપણે આપણાં પૌરાણિક આયુર્વિજ્ઞાનને બહુ હળવાશથી લઇએ છીએ. અત્યાર સુધી આપણે સરગવા વિશે જે વાત કરી એ પશ્ચિમના વૈજ્ઞાનિક દ્વારા તાજેતરમાં જ સિદ્ધ થયેલી છે. પરંતુ આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં 300 કરતા વધુ ઔષધોમાં મોરિંગા અથવા સરગવાનો રેફરન્સ મળી રહે છે. આયુર્વેદમાં સરગવાની શિંગ ઉપરાંત સરગવાનાં પાનનાં ભરૂપર ગૂણગાન ગવાયા છે. આપણે તેની શિંગનું શાક તો ક્યારેક ખાઇએ છીએ પરંતુ તેનાં પાનને સાવ વિસરી જ ગયા છીએ.


    સરગવાનાં ફાયદા અગણિત છે. માત્ર સરગવામાંથી જ મળતા હોય એવા પણ કેટલાંક તત્ત્વો છે. એ જગતનાં અન્ય કોઇપણ સુપરફુડ કરતાં એન્ટિ ઓક્સીડન્ટ તત્ત્વોમાં બહેતર છે. હાર્ટને, તેની નળીઓને સ્વસ્થ રાખવાની ક્ષમતા માત્ર સરગવામાં છે. દાહ દૂર કરતા છત્રીસ તત્ત્વો તેમાંથી મળે છે-જે અન્ય કોઇ જ સુપરફુડમાંથી મળતા નથી.


    એન્ટી એજિગ’ (અકાળે વૃદ્ધત્વ દૂર કરતા)નાં જે તત્ત્વો-જેટલા પ્રમાણમાં સરગવામાં છે-અન્ય કોઇ જ વનસ્પતિમાં નથી. જ્વારાનાં બહુ ગૂણગાન ગવાય છે પરંતુ જ્વારાના રસમાં જેટલા હરિતદ્રવ્યો (કલોરોફિલ) છે તેનાં કરતાં ચારસો ટકા વધુ હરિતદ્રવ્યો સરગવામાં છે. ઘા રૂઝાવવામાં એ કુદરતી રીતે જ મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, આખા શરીરનો કાયાકલ્પ કરે છે અને શરીરનાં ઝેરી તત્ત્વોને બહાર ફેંકી દે છે.


    સરગવાને તમે પોષણનું પાવરહાઉસ કહી શકો. તેમાં સંતરાની સરખામણીએ સાતગણું વિટામીન-સી છે. ગાજર કરતાં ચારગણું વિટામીન-એ છે. દૂધમાંથી જેટલું કેલ્શિયમ આપણને મળે છે તેમાંથી ચારગણું કેલ્શિયમ મળે છે એ પણ લેકટોઝ વગર! કેળાને આપણે ત્યાં પોટેશિયમનો શ્રેષ્ઠ સોર્સ ગણવામાં આવે છે. પરંતુ સરગવામાં કેળાની સરખામણીએ ત્રણસો ટકા વધુ પોટેશિયમ છે અને દહીં કરતાં તેમાં બમણું પ્રોટિન છે.

    

    સરગવામાં અગણિત ગૂણધર્મો છે. ઝિન્કની ખામીથી જો વાળ ખરતા હોય તો એ પ્રક્રિયા તેના દ્વારા અટકાવી શકાય છે. જનરલ હેલ્થમાં તેનાં થકી વધારો થાય છે. મહત્વની વાત એ છે કે, તેની કોઇ જ સાઇડ ઇફેક્ટ આજ સુધી નોંધાઇ નથી. સ્તનપાન કરાવતી માતાથી માંડીને પ્રેગનન્ટ ત્રીઓ, બાળકો, યુવાનો અને આધેડ કે વૃદ્ધો એમ તમામ લોકો એ લઇ શકે છે. પ્રકૃતિએ તે ગરમ નથી તેથી વધતી-ઓછી માત્રાની કોઇ ચિતા કરવાની જરૂર નથી. સવાલ એ છે કે, સરગવા વિશે માત્ર વાતો જ કરવી છે શું?

    

    માત્ર વાંચવુ જ છે? કે એ આંગણામાં વાવવાનું કે ખાવાનું પણ શરૂ કરવું છે? ક્યારથી? કલ કરે સો આજ કર, આજ કર સો અભી











ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...