●પારિજાત●
પુરાણોમાં ઉલ્લેખ છે
તેવા સમુદ્ર મંથન વિશે તો સૌએ સાંભળ્યું જ હશે, સમુદ્ર મંથન દરમિયાન પારિજાત વૃક્ષની ઉત્પત્તિ થઇ હતી. જેને દેવરાજ
ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં રોપવામા આવ્યું હતું. દેવપૂજામાં પારિજાતના ફૂલોનું પણ
વિશેષ મહત્વ છે. જળમાંથી ઉત્પત્તિ થવાના કારણે પારિજાતનાં ફૂલ દેવી લક્ષ્મીના અતિપ્રિય છે, કેમ કે દેવી લક્ષ્મીની ઉત્પત્તિ પણ
સમુદ્ર મંથન દરમિયાન પાણીમાંથી જ થઇ હતી. પારિજાતને હરશ્રૃંગાર પણ કહેવામા આવે છે.
જાણો ક્યાં આવેલું છે સ્વર્ગથી લાવેલું આ પારિજાતનું વૃક્ષ અને તેના પાછળની
કહાણી...
【આવી રીતે પૃથ્વી પર આવ્યું હતું પારિજાત】:-
શ્રીકૃષ્ણ લીલામાં વર્ણન મળે છે કે રૂક્મિણીએ પોતાના વ્રતની પૂર્ણાહુતિ કરવી હતી. જેથી શ્રીકૃષ્ણને સાથે લેઓ રૈવતક પર્વત પર પહોંચ્યાં. એ સમયે દેવઋષિ નારદ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. એમના હાથમાં પારિજાત વૃક્ષનું પુષ્પ હતું, જે તેમણે રુક્મિણીને આપી દીધું અને રુક્મિણીએ આ ફૂલ પોતાના માથા પર લગાવી લીધું.
【સત્યભામાની જીદ】:-
કનૈયાની ત્રણ પત્ની
હતી- રૂક્મિણી, જામ્વંતી અને સત્યભામા. જ્યારે
વ્રતની પૂર્ણાહુતિ કરી કૃષ્ણ અને રુક્મિણી મહેલમાં પરત આવી ગયાં ત્યારે રુક્મિણીના
વાળમાં ફૂલ જોઇને સત્યભામાએ આખું ઝાડ જ લઇ આવવાની માગણી કરી. ત્યારે કૃષ્ણ એમના
માટે સ્વર્ગથી પારિજાતનું વૃક્ષ લઇને આવ્યા હતા.
【દ્વારકાથી કિંતૂર કેવી રીતે પહોંચ્યું પારિજાત】:-
ઉત્તર પ્રદેશના
બારાબંકી જિલ્લાથી 38 કિમી દૂર
પૂર્વમાં આવેલ કિંતૂર ગામ આવેલું છે. આ ગામમાં એ પારિજાત વૃક્ષ છે, જેને કૃષ્ણએ સ્વર્ગથી લાવ્યા બાદ દ્વારકામાં લગાવ્યું હતું. કુંતીએ
પોતાના પુત્ર અર્જુન પાસે શિવપૂજા દરમિયાન ભોળેનાથને પારિજાતના પુષ્પ અર્પણ કરવાની
ઇચ્છા વ્યક્ત કરી હતી. માતાની ઇચ્છા પૂરી કરવા માટે અર્જૂન દ્વારકાથી આખું ઝાડ જ
ઉઠાવીને લઇ ગયા અને કિંતૂરમાં સ્થાપિત કરી દીધું હતું. માનવામા આવે છે કે મહાભારત
કાળમાં જ આ ગામ વસાવવામા આવ્યું હતું. એ સમયે ધૃતરાષ્ટ્રે પાંડવોને અજ્ઞાતવાસ
આપ્યો ત્યારે તેઓ અહીં આવીને જ રોકાયા હતા. પાંડવોની માતા કુંતીના નામે આ ગામનું
નામ કિંતૂર પાડવામા આવ્યું છે. પાંડવો દ્વારા અહીં મહાદેવ મંદિરનું નિર્માણ પણ
કરવામાં આવ્યું જેનું નામ કુંતેશ્વર મહાદેવ મંદિર છે.
આ છોડને પારિજાત અને હરશ્રૃંગાર ઉપરાંત શેફાલી, પ્રાજત્ત્કા અને શિઉલીના નામથી પણ ઓળખવામા આવે છે. આ ફૂલ પશ્ચિમ બંગાળના રાજકીય પુષ્પ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો