એક સંત એક વેપારીના ઘરે જમીને રૂમમાં આરામ કરતા હતા, કામ હોવાથી વેપારી રૂમમાં આવી રૂપિયા ભરેલા કબાટમાંથી રૂપિયા લઈને જતો રહ્યો. કબાટ ખુલ્લો હતો, પછી સાધુએ તે કબાટમાંથી…
એક અનાજ કરિયાણાના જથ્થાબંધ વેપારી કે જે અનાજ માં ભેળસેળ કરતો અને ટેક્સ ની ચોરી કરતો તેમજ ધંધો કરવા માં જે પણ ખોટું થઇ શકે તે બધું કરી અને રૂપિયા કમાતો હતો. તેને ધંધો સાચી રીતે અને ઈમાનદારી થી કરવામાં જરા પણ રસ નહોતો.
અને કાયમ ને માટે ખોટું કેવી રીતે કરી શકાય તે જ શોધતો હતો એક દિવસ એક સાધુ તેના ઘરે ભિક્ષા માંગવા માટે આવે છે ત્યારે તેને મન માં એવું થયું કે આજે તો આ સાધુ ને જમાડીને જ મોકલવા છે, આપણે આટલું બધું ખોટું કરી અને રૂપિયા કમાઇએ છીએ તો કંઈક દાન પુણ્ય પણ કરવું જોઈએ.
તેની પત્ની ને કહી અને સાધુ માટે જમવાની વ્યવસ્થા કરી અને સાધુ ને જમાડ્યા જમી લીધા પછી સાધુ રજા લઇ ને જવા લાગ્યા, ત્યારે તે વેપારી એ કહ્યું કે બહાર બહુ તડકો છે જેથી તમે થોડી વાર આરામ કરી અને પછી બહાર નીકળો તે વેપારી એ એક રૂમ માં સાધુ ને આરામ કરવા માટે…
જગ્યા આપી સાધુ ત્યાં નીંદર કરી રહ્યા હતા ત્યારે વેપારી તેના કામ થી તે રૂમમાં આવ્યો. અને કબાટ માંથી રુપિયા કાઢવા લાગ્યો સાધુ ની નીંદર ઉડી જતા તેને જોયું કે આખો કબાટ રૂપિયા થી ભરેલો હતો અને તે વેપારી રૂપિયા કાઢી અને જતો રહ્યો પણ કબાટ ખુલ્લો મૂકી ને ગયો.
સાધુ એ રૂપિયા ના થપ્પા જોયા પણ તેને તેમાં કશો રસ નહોતો, તેથી તે ફરી ને આરામ કરવા લાગ્યા. હવે સાધુ ના પેટ માં પડેલા ચોરી થી કમાયેલા રૂપિયા માંથી બનેલા ખોરાકે તેની અસર બતાવી અને સાધુ જગ્યા ત્યારે તેને કબાટ માંથી એક દસ હજાર રૂપિયા ની થપ્પી થેલા માં સરકાવી દીધી.
અને વેપારી ની રજા લઇ અને આશીર્વાદ આપીને ત્યાં થી નીકળી ગયા, પરંતુ બીજા દિવસ સુધી સાધુ નું મન ભટકી રહ્યું હતું. અને તેને એક દિવસ પછી તેને લીધેલા દસ હજાર રૂપિયા બદલ અફસોસ કરી રહ્યા હતા કે આટલી ઉંમર માં કોઈ દિવસ મેં કોઈ નો એક રૂપિયો પણ પોતાના હાથે લીધેલો નથી.
અને આજે દસ હજાર રૂપિયા લેતા પણ મને કેમ કઈ વિચાર ના આવ્યો, તેથી તે વેપારી પાસે ગયા અને કહ્યું કે પહેલા આ તમારા દસ હજાર રૂપિયા તમે રાખો. અને તમે મને કાલે જમાડ્યો હતો પણ હવે મને એ કહો કે તમે રૂપિયા ક્યાંથી કમાયા હતા તે સાચું કહો.
ત્યારે તે વેપારી એ કહ્યું કે હું અનાજમાં ભેળસેળ કરું છું. સરકારને ટેક્સ નથી આપતો અને ખોટું કરવાનો જે પણ મોકો મળે તે છોડતો નથી અને આવી રીતે મેં લાખો રૂપિયા બનાવ્યા છે હવે સાધુ ને ખબર પડી કે તેને રૂપિયા લઇ લેવાનું કેમ મન થયું કારણ કે ચોરી કરેલા રૂપિયા નું અનાજ તેના પેટમાં ગયું હતું.
આપણા માં એટલે જ કહેવત છે કે: જેવું અન્ન તેવું મન…
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો