શનિવાર, 20 મે, 2023

રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ રાધા માં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપતા કહ્યું કે…

રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ રાધા માં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપતા કહ્યું કે…
એક દિવસ રૂક્ષ્મણીજી એ શ્રી કૃષ્ણ ભગવાન ને દૂધ પીવા માટે આપ્યું દૂધ વધારે ગરમ હોવાથી શ્રી કૃષ્ણ ભગવાન ને મોઢા માં અને ચાટી માં બળતરા થવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણ ના મોઢા માંથી હે રાધે હે રાધે એ શબ્દ નીકળી ગયો અને

આ સાંભળતા જ રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ રાધા માં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે હું પણ આપને અપાર પ્રેમ કરું છું તો પણ આપ મારુ નામ નથી લેતા અને રાધા નું નામ લો છો

ભગવાન શ્રી કૃષ્ણ એ રુક્મણિજી ને હસતા હસતા કહ્યું કે દેવી તમે ક્યારેય શ્રી રાધાજી ને મળ્યા છો ??? બીજા દિવસે રૂક્ષ્મણીજી શ્રી રાધાજી ના મહેલ માં તેને મળવા માટે પહોંચ્યા ત્યારે મહેલ માં જતા જ એક બહુ જ સુંદર સ્ત્રી ને જોઈ ને રૂક્ષ્મણીજી ને થયું કે આ જ રાધાજી છે એટલે તેને પગે લાગવા લાગ્યા

ત્યારે દરવાજે ઉભેલી તે સ્ત્રી એ કહ્યું કે તમે મને કેમ પગે લાગો છો ?મને તમારો પરિચય તો આપો ત્યારે રૂક્ષ્મણીજી એ પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું રાધાજી ને મળવા માટે અહીંયા આવી છું ત્યારે તે સ્ત્રી એ કહ્યું કે હું તો શ્રી રાધાજી ની દાસી છું અને આ પહેલો દરવાજો છે.

આવી રીતે સાત દરવાજા પછી ના કક્ષ માં આપને શ્રી રાધાજી મળશે રૂક્ષ્મણીજી તો ચાલવા લાગ્યા દરેક દરવાજે એક થી એક સુંદર દાસી ને જોઈ ને વિચારવા લાગ્યા કે દાસી જો આટલી સુંદર અને તેજસ્વી હોય તો શ્રી રાધાજી કેવા હશે ? વિચારતા વિચારતા રૂક્ષ્મણીજી રાધાજી ના કક્ષ માં પહોંચ્યા.

અને અત્યંત સ્વરૂપવાન અને સૂર્ય સમાન તેજ ધરાવતા શ્રી રાધાજી ના દર્શન થયા અને જોયું તો રાધાજી ના પુરા શરીર માં ફોડલા પડ્યા છે ત્યારે રૂક્ષ્મણીજી એ રાધાજી ને પૂછ્યું કે તમને આખા શરીર માં ફોડલા કેવી રીતે પડી ગયા ? એટલે શ્રી રાધાજી એ કહ્યું કે

ગઈકાલે તમે ભગવાન શ્રી કૃષ્ણ ને જે ગરમ દૂધ પીવડાવ્યું હતું તેનાથી તેના હૃદય માં ફોડલા પડી ગયા છે અને હું સદાય માટે ભગવાન શ્રી કૃષ્ણ ના હૃદય માં રહું છું રૂક્ષ્મણીજી હવે સમજી ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ ના હૃદય માં જ વાસ રહેવો જોઈએ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...