કહેવાય છે, કે વાઘનાથ બાપુ રાતના જડીબુટ્ટી સૂંઘી પોતાનુ રૂપ વાઘ જેવુ કરી ગીર તળેટી મા વિચરણ કરતા, એ સમયે એમની એક ચેલો પણ કરેલો, હવે આ ચેલો નિત્ય વાઘનાથ બાપુની ક્રીયા નિહાળતો.
એક દિવસ બાપુ રાતના સાધના થકી પોતાનું રૂપ બદલી વિચરણ કરવા નિકળી ગયા ત્યારે આ ચેલો જડીબુટ્ટી લઈ ગુમ થઈ ગયો,
અને હાલમાં પણ વાઘનાથ બાપુ વાઘ ના રૂપે ગિરનારની તળેટીમાં હાલમાં વિચરણ કરે છે,
હાલમાં પણ કોઈ કોઈ વાર હાથમાં કડુ પહેરેલો વાઘ નજરે ચડે છે,
કહેવાય છે, કે એ પોતે જ વાઘનાથ બાપુ હાલમાં પણ સિધ્ધ જડીબુટ્ટી ની શોધમાં છે.
એમ પણ કહેવાય છે, કે વેલનાથ બાપુ વાઘનાથ ના બીજા ચેલા થયા હતા, કોઈ કોઈવાર વાઘનાથ બાપુ ગોરખ મઢી એ પધારે છે એવી માન્યતા છે,
વાત સાચી છે કે ખોટી તે આપણે તો કાંઈ જાણતા નથી પણ હાલમાં પણ વાઘની આકૃતિ જેવા સંત ક્યારેક જોવા મળે છે, એવું ત્યાંના રહેતાં ગીરવાસીઓ નું કહેવું છે.
જય ગીરનારી👏.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો