ગુરુવાર, 15 જૂન, 2023

મોલ અને એરપોર્ટનાં ટોઇલેટનાં દરવાજામાં નીચે જગ્યા શા માટે રાખવામાં આવે છે? કારણ મોટાભાગનાં લોકોને ખબર નહીં હોય.

મોલ અને એરપોર્ટનાં ટોઇલેટનાં દરવાજામાં નીચે જગ્યા શા માટે રાખવામાં આવે છે? કારણ મોટાભાગનાં લોકોને ખબર નહીં હોય.


તમે જોયું હશે કે મોલ અને એરપોર્ટ જેવી જગ્યા પર ટોઇલેટના દરવાજાની ઉપર અને નીચે ઘણી જગ્યા હોય છે. તેને લઈને દિમાગમાં તેવો સવાલ જરૂર આવે છે કે આખરે આ દરવાજાને ઉપર અને નીચે આટલી સ્પેસ શા માટે હોય છે? કારણ કે આપણા ઘરમાં ટોઇલેટના દરવાજા બિલકુલ પેક હોય છે. હકીકતમાં મોલ અને એરપોર્ટ જેવી જગ્યામાં ટોઇલેટના દરવાજામાં ઉપર અને નીચે જગ્યા હોવાના ઘણા કારણ છે. તેમાં સૌથી મોટું કારણ સેફટી નું છે. લોકો અને ખાસ કરીને બાળકોને સેફટી માટે આવી સ્થળોમાં ટોયલેટની ઉપર અને નીચે થોડી જગ્યા રાખવામાં આવે છે.

આ છે ટોઇલેટના દરવાજા માં જગ્યા રાખવાનું કારણ :

મોલ અને એરપોર્ટ જેવી જગ્યામાં ટોઇલેટના દરવાજા માં સ્પેસ છોડવાનું એક કારણ વેન્ટિલેશન પણ છે. ટોયલેટમાં હવા નું સર્ક્યુલેશન યોગ્ય રીતે થઇ શકે તેના માટે તેમાં ઉપર ની તરફ સ્પેસ છોડવામાં આવે છે. વળી મોલના ટોયલેટમાં સ્મોકિંગની પરવાનગી હોતી નથી. તેમ છતાં પણ ઘણા લોકો છુપાઈને ત્યાં સ્મોકિંગ કરે છે. આ લોકો ને પકડવા માટે દરવાજાની ઉપર થોડી જગ્યા છોડવામાં આવે છે, જેથી જ્યારે કોઈ ટોયલેટમાં કોઈ સ્મોકીંગ કરે તો ઉપરની ખાલી જગ્યા માંથી ધુમાડો બહાર આવે જેનાથી સ્મોકિંગ કરવાની જાણ થઈ શકે. આ હતા ટોયલેટનાં દરવાજામાં ઉપરની તરફ જગ્યા છોડવાનાં અમુક કારણ. હવે જાણીએ કે દરવાજા ની નીચે શા માટે જગ્યા છોડવામાં આવે છે.

દરવાજાની નીચે આ કારણથી છોડવામાં આવે છે જગ્યા :

મોલ અને એરપોર્ટ જેવી જગ્યામાં ટોઇલેટના દરવાજા ની નીચે સ્પેસ છોડવાનું કારણ એવું હોય છે કે જો ટોયલેટ નો ઉપયોગ કરવા દરમિયાન કોઈ ને તબિયત અચાનક ખરાબ થઈ જાય તો દરવાજો લોક હોવા છતાં પણ તેને સરળતાથી બહાર કાઢી શકાય. વળી નીચે સ્પેસ છોડવાનું બીજું કારણ એ છે કે પાણીના સંપર્કમાં આવવાથી લાકડું ખરાબ ન થાય. કારણ કે આ જગ્યા પર સતત લોકોની અવરજવર થતી હોય છે જેનાથી પાણીનો ઉપયોગ થતો રહે છે. જો દરવાજા સુધી પાણી પહોંચશે તો દરવાજા જલ્દી ખરાબ થઈ જાય છે. સામાન્ય રીતે આ કારણોને લીધે મોલ અને એરપોર્ટના ટોઇલેટના દરવાજા માં ઉપર અને નીચે જગ્યા છોડવામાં આવે છે.

માહિતી સભર અન્ય લેખ વાંચો
આ પણ વાંચો : કરોડોમાં ૧ નસીબદાર વ્યક્તિની પગની આંગળિઓ આવી હોય છે. જાણો અહીંયા.
આ પણ વાંચો : તમને ખબર નહીં હોય પણ આટલા દિવસ પછી ગાડીમાં રહેલું પેટ્રોલ-ડીઝલ સડી જાય છે, મોટાભાગનાં લોકોને તેની જાણકારી જ નથી.
આ પણ વાંચો : પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક વચ્ચે ‘લાકડાના બ્લોક’ શા માટે મૂકવામાં આવે છે.
આ પણ વાંચો : 108 સંખ્યા પાછળનું રહસ્ય, શા માટે બધી જગ્યાએ 108 જ સંખ્યા વપરાય છે બીજી કેમ નહિ, જાણો કારણ.
આ પણ વાંચો : કેમ શુભ કાર્ય માં પહેલા સ્વસ્તિક બનાવવામાં આવે છે. જાણો સ્વસ્તિકની ઉત્પતિ અને મહત્વ.

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે
અહિંયા ક્લિક કરો


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો

────⊱◈✿◈⊰────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...