બુધવાર, 18 જાન્યુઆરી, 2023

વાત એક ખાનદાની ની....

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ

નોકરી માટે આવે છે....રાજા તેની લાયકાત પુછે છે.જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,


હું અક્કલથી કોઇ પણ જાતનો

ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું...


રાજા એ એમને ઘોડાના તબેલા ની

જવાબદારી સોંપી દે છે...


 થોડા દિવસો પછી રાજાતેમના  અતિ મોંધા અને પ્રિય ઘોડા બાબતે અભિપ્રાય પુછયો..


જવાબમાં નોકરે કંહ્યુ કે,

   “ ઘોડો અસલી નથી”


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


 રાજા એ તપાસ કરાવી તો

જાણવા મળ્યું કે

ઘોડા ની નસલ તો અસલી છે,

પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે

તે ગાયને ધાવીને મોટો થયો હતો...


રાજા એ નોકરને પુંછયું કે,

તને આ કેવી રીતે ખબર પડી ?


નોકરે જવાબ આપ્યો કે,

નામદાર ઘોડો મોઢામાં ધાસ લઈને

મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે

જયારે આ ઘોડો  ગાયની માફક નીચે નમીને

મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


રાજા એ ખુશ થઈને નોકરના ધરે

અનાજ,ધી,અને

પક્ષીઓનું માંસ મોકલી આપ્યું,


તે નોકરને બઢતી આપી ને

તેને રાણી નાં મહેલમા નોકરી આપી,

                   અને

પછી રાજા એ તેની રાણી બાબતે

         સવાલ કર્યો તો

     જવાબમાં નોકરે કંહ્યુ કે


રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે

પણ તે રાજકુમારી નથી..


રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો...


તરત જ તેણે તેની સાસુને બોલાવી...


સાસુએ ખુલાસો કર્યો કે,

મારી દિકરી જન્મી કે,

તરત જ તમારી સાથે

તેની સગાઇ કરી નાખવામાં આવી હતી..


પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ...

એટલે બીજી કોઇ છોકરીને

અમે ગોદ લીધી,

જે આજે તમારી રાણી છે...


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


રાજા એ નોકરને પુંછયુ કે

તને આ કઈ રીતે ખબર પડી ?


 નોકરે જવાબ આપ્યો કે


ખાનદાની લોકોનાં અન્ય લોકો સાથેનો વ્યવહાર

ખુબજ સાલસ અને નમ્ર હોય છે

જે આપની રાણી માં નથી...


રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ,  ધેટા,બકરા આપીને

પોતાના દરબારમાં સ્થાન આપ્યું...


થોડા વખત પછી રાજા એ

નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી


જવાબમાં નોકરે કંહ્યુ કે

“અભય વચન આપો,

તો તમારી અસલીયત બાબત કહુ''


રાજા એ આપ્યું..,

એટલે નોકરે  કંહ્યુ કે,


“ના તો આપ રાજા છો કે,

ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ

જાન માફીનું વચન આપ્યું હતું

એટલે સમસમીને ચુપ રહ્યો

               અને

રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે,

હું ખરેખર કોનો  દીકરો છું...??


જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે

હા સાચી વાત છે.


મારે કોઇ ઓલાદ ન હતી

તેથી મેં તને

એક કસાઈ પાસેથી ગોદ લીધો હતો...


 રાજા અચરજ પામી ગયો

                 અને

          નોકરને પુછયું કે,

તને કેવી રીતે ખબર પડી ...?


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


જવાબમાં નોકરે કંહ્યુ કે,

બાદશાહ જયારે કોઇને ઇનામ આપે

તો તે હીરા ,

મોતી અને ઝવેરાતના રૂપમાંઆપે છે”.


પરંતુ તમે તો મને કાયમઅનાજ,માંસ, ધેટા, બકરા

વિ.ઇનામમાં આપ્યા

જે વહેવાર કોઇ કસાઈ ની

ઓલાદ જેવો હતો...


બોધ

માણસની અસલીયત

તેના લોહી નો પ્રકાર,

સંસ્કાર,

વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે...


હેસિયત બદલાઇ જાય છે,

પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼️


વિજ્ઞાન માં D.N.A. ની શોધ

અમથી જ નથી થઈ..


પૈસો આવે એટલે

મન ની અમીરાત પણ આવે

તેવું હોતું નથી....


તેના માટે સંસ્કારી ખાનદાન નાં

D. N. A. જરુરી હોય છે...

━──────────⊱◈✿◈⊰───────────

આ પણ વાંચો : સુરત TRB ભરતી 2023, જાણો સંપૂર્ણ માહિતી


આ પણ વાંચો : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)માં આવી 356 જગ્યા માટે ભરતી


આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં ભરતી 2022


આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2022, ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2023

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...