બુધવાર, 15 ફેબ્રુઆરી, 2023

વિદ્યાસહાયક ભરતી 2023 , નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

વિદ્યાસહાયક ભરતી 2023 : શિક્ષણ સહાયક ભરતી 2023 : નવસારી જિલ્લામાં આવેલી આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અનુદાનિત નીચે મુજબની આશ્રમશાળાઓમાં વિધાસહાયક અને શિક્ષણ સહાયકની સીધી ભરતી માટે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ, નવસારી દ્વારા પત્ર ક્રમાંકઃ નં. મક/આવિ/ઉ.બુ. આશા/NOC/૨૦૨૩/૬૯૬થી ૦૦૧, તા. ૨૩-૦૧-૨૦૨૩ નં. મક/આવિ/ઉ.બુ.આશા/NOC/૨૦૨૩/૦૪થી ૭૦૯, તા. ૨૦-૦૧-૨૦૨૩, નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૪૦૦થી ૧૬૧૦/૨૦૨૩ તા. ૦૯/૦૨/૨૦૨૩ અને નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૬૨૯થી ૧૬૩૪/૨૦૨૩, તા. ૦૯-૦૨-૨૦૨૩થી ‘‘ના વાંધા પ્રમાણપત્ર’’ આપવામાં આવેલ છે, જે અન્વયે ગુજરાતી માધ્યમના વિધાસહાયકો /શિક્ષણસહાયકોની ભરતી કરવાની છે.
વિદ્યાસહાયક ભરતી 2023
સંસ્થાનું નામનવસારી આશ્રમ શાળા
પોસ્ટનું નામવિધાસહાયક અને શિક્ષણ સહાયક
કુલ જગ્યા39
છેલ્લી તારીખ28/02/2023
અરજી મોડરજીસ્ટર પોસ્ટ એ.ડી. થી
અરજી કરવા અહીંયા ક્લિક કરો 👉 ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરતી 2023
પોસ્ટનું નામ : શિક્ષણ સહાયક ભરતી 2023
  • વિધાસહાયક અને શિક્ષણ સહાયક


શૈક્ષણિક લાયકાત
  • બી.એ, બી.એડ , બી.એસ.સી. બી.એડ , એમ.એ.બી.એડ, પી.ટી.સી


ઉંમર મર્યાદા
  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.


પગાર
  • સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિધાસહાયકને રૂ. ૧૯,૯૫૦/- પ્રતિ માસ, ધો.-૯, ૧૦ના શિક્ષણસહાયકને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ તથા ધો. ૧૧, ૧૨ના શિક્ષણસહાયકને રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે.

અરજી કરવા અહીંયા ક્લિક કરો  👉 બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023, 500 જગ્યાઓ માટે ભરતી | છેલ્લી તારીખ 25/02/2023 

અરજી ફી
  • ત્યાં કોઈ અરજી ફી નથી.

અન્ય વિગતો – શિક્ષણસહાયક ભરતી 2023
  1. ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય (લાગુ પડતો હોય તો)ની ટી.ઈ.ટી./ટી, એ.ટી.ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈશે.
  2. અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે.
  3. જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકારશ્રીએ નિયત કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિશનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થા દ્વારા નિમણૂંક આપવામાં આવશે.
  4. પગારધોરણ : સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિધાસહાયકને રૂ. ૧૯,૯૫૦/- પ્રતિ માસ, ધો.-૯, ૧૦ના શિક્ષણસહાયકને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ તથા ધો. ૧૧, ૧૨ના શિક્ષણસહાયકને રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે. નિયમિત નિમણૂંક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર થશે. સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાશે.
  5. શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઈશે.
  6. અરજી કરવાના આખરી દિવસે ઉમેદવારની ઉંમર સરકારશ્રીએ ઠરાવ્યા મુજબની વયમર્યાદામાં હોવી જોઈએ. વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળી શકશે.
  7. સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાના કર્મચારીએ નિમણૂક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે.
  8. ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો તેની અરજી આપોઆપ રદ્દ થશે- માહિતી એપ.
  9. સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યૂટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.
  10. મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઈ પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવું ફરજિયાત છે. તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે.
  11. આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૯ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ના સંબંધિત નિયમો પણ લાગુ પડશે.
  12. ઉપરોક્ત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વયંપ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા (જો વધારાની લાયકાત ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી તા. ૨૮/૦૨/૨૦૨૩ પહેલાં ઉક્ત સરનામે મળી જાય તે રીતે ફક્ત R.P.A.D.થી જ અરજી મોકલવાની રહેશે. તે પછીથી મળેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહિ, અરજીના કવર પર લાલ પેનથી કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે, તે દર્શાવવાનું રહેશે. એકથી વધુ આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક ઉમેદવારે તમામ સંબંધિત સંસ્થામાં અલગ-અલગ કવરમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ની કચેરી, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી-૩૯૬૪૪૫ને મોકલવાની રહેશે.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી કરવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે.


અરજી મોકલવાનું સરનામું :
  • આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ની કચેરી, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી-૩૯૬૪૪૫
નોંધ : રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહિ.


મહત્વપૂર્ણ તારીખો :

છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2023
મહત્વપૂર્ણ લિંક :
આશ્રમશાળામાં વિદ્યાસહાયક અને
શિક્ષણ સહાયક જાહેરાત
અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
વિદ્યાસહાયકભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આશ્રમશાળા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે.

આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.


───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─



આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...