રાવણે કોને પોતાના પગ નીચે દબાવીને રાખ્યા હતા, જેમને હનુમાનજીએ છોડાવ્યા હતા, વાંચો કથા.
રાવણના
સિંહાસન પાસે તેના પગની નીચે કોઈને દેખાડવામાં આવે છે, જાણો તે કોણ છે?
રાવણને
પૌરાણિક કથાઓમાં ભલે ખલનાયક તરીકે દર્શાવવામાં આવ્યો હોય, પરંતુ તે એક મહાન
વિદ્વાન પણ હતો. એવું પણ કહેવાય છે કે ત્રણે લોકમાં રાવણ સિવાય બીજો કોઈ વિદ્વાન
નહોતો. તે એક મહાન શિવ ભક્ત, વેદનો જાણકાર, જ્યોતિષ શાસ્ત્રનો મહાન વિદ્વાન, તંત્ર
અને મંત્રમાં ભગવાન શિવ જેવા અને અજેય યોદ્ધા હતા. રાવણ એ પણ જાણતો હતો કે સમગ્ર
બ્રહ્માંડમાં ભગવાન શિવ સિવાય તેને કોઈમા-રી-શ-કે તેમ નથી.
અને
ભગવાન શિવ પણ એવું કરતે નહીં, કારણ કે રાવણ તેમનો પરમ ભક્ત હતો અને શ્રી હરિની
તેમના પર કૃપા હતી. રાવણ એ પણ જાણતો હતો કે તેના મોક્ષનો માર્ગ શ્રી હરિ દ્વારા જ
શક્ય છે. નાભિમાં રહેલા ‘અમૃત’ને કારણે રાવણ અમર હતો. તેણે યમરાજને પણ યુદ્ધમાં
હરાવ્યા હતા. તેણે પોતાની શક્તિઓનો દુરુપયોગ કરીને લંકામાં તમામ પરાજિત દેવોને
બંદી બનાવી રાખ્યા હતા. રાવણે માત્ર દેવતાઓને જ પીડા આપી ન હતી, પરંતુ ‘નવગ્રહો’
ને મુઠ્ઠીમાં પકડીને લંકા લઈ આવ્યો હતો.
પૌરાણિક કથા અનુસાર જ્યારે મેઘનાદનો જન્મ થવાનો હતો. ત્યારે રાવણે બધા જ ગ્રહોને કુંડળીના એવા ઘરોમાં રાખ્યા હતા જેથી કરીને તેનું બાળક અમર બની જાય. પરંતુ ત્યારે શનિ દેવે એક એવી ચાલ ચાલી કે જેના કારણે તેઓ મેઘનાદના જન્મના બરાબર પહેલા એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ્યા. આ કારણે મેઘનાદ અજર અને અમર ન બની શક્યો.
આ
જોઈને રાવણને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે શનિ દેવના પગ પર ગદા મારી. આ પછી પણ
રાવણનો ક્રોધ શમ્યો નહીં. શનિનું અપમાન કરવા અને શનિની દુષ્ટ નજરથી લંકાને બચાવવા
માટે, રાવણે તેમને પોતાના સિંહાસનની સામે ફેંકી દીધા અને તેમનું મોઢું જમીન તરફ
ફેરવ્યું. જેથી ન તો તે શનિ દેવનો ચહેરો જોઈ શકે અને ન તો શનિ દેવની નજર બીજા કોઈ
પર પડી શકે.
રાવણે
સિંહાસન પર બેસતી વખતે પગ રાખવા માટે શનિની પીઠનો ઉપયોગ કર્યો હતો. આ રીતે સિંહાસન
પરથી ઊઠતી વખતે, બેસતી વખતે, રાવણે શનિ દેવ અને અન્ય ગ્રહોના શરીર પર પોતાના પગ
મૂક્યા અને જાણીજોઈને તેમના પર જુલમ કર્યો. એવું કહેવાય છે કે ઘણા વર્ષો પછી
જ્યારે હનુમાનજી સીતામાતાની શોધમાં લંકા ગયા ત્યારે તેમણે આ નવ ગ્રહોને રાવણની
કેદમાંથી મુક્ત કરાવ્યા હતા.
એવું
કહેવાય છે કે રાવણની લંકામાંથી બહાર નીકળતી વખતે શનિ દેવે લંકા પર પોતાની નજર નાખી
અને પરિણામે રાવણની ‘સ્વર્ણ લંકા’ બળીને રાખ થઈ ગઈ. તેનાથી પ્રસન્ન થઈને બજરંગબલિએ
શનિ દેવને મુક્ત કર્યા અને શનિદેવે હનુમાનજીને તેમના ભક્તોના જીવનની મુશ્કેલીઓથી
દૂર રાખવા માટે આશીર્વાદ આપ્યા.
એક
પૌરાણિક કહેવત એવી પણ છે કે – જ્યારે રાવણે પોતાની શક્તિનો દુરુપયોગ કરીને
દેવતાઓને બંદી બનાવી લીધા હતા ત્યારે તેણે યમરાજને પોતાના પગ નીચે બંદી બનાવી
રાખ્યા હતા.
(ડિસ્ક્લેમર
: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ
કરતા નથી.)
આ
માહિતી સ્કૉપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી
લીધેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો